Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

જામકંડોરણામાં સ્‍વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્‍મૃતિમાં સમુહલગ્નઃ ૧૬પ નવદંપતીના પ્રભુતામાં પગલાઃ સી.આર.પાટીલ, નરેશભાઇ પટેલ સહીતનાની ઉપસ્‍થિતી

જામકંડોરણા : જામકંડોરણામાં ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા દ્વારા આજે ખેડુત નેતા સ્‍વ. શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્‍મૃતિમાં લાગણીના વાવેતર સાતમો શાહી સમુહ લગ્નોત્‍સવ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ જામકંડોરણા ખાતે આવતા પુર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયાએ તેમનું સ્‍વાગત કર્યુ હતું. બાદમાં કન્‍યા છાત્રાલયથી ૧૬પ વરરાજાનો વરઘોડો વિન્‍ટેજ કારમાં નિકળ્‍યો હતો. આ વરઘોડામાં ડી.જે., બગી, ઘોડા, બેન્‍ડ પાર્ટી, ઢોલ મંડળી સાથે ધારાસભ્‍ય જયેશભાઇ રાદડીયા, લલીતભાઇ રાદડીયા, ચેતનાબેન રાદડીયા, ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર સહીતના અગ્રણીઓ જોડાયા હતા. સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તેમજ ખોડલધામ ટ્રસ્‍ટના નરેશભાઇ પટેલ, ગોરધનભાઇ ઝડફીયા, ડો.ભરતભાઇ બોઘરા, વસંતભાઇ ગજેરા, પરસોતમભાઇ ગજેરા, રમેશભાઇ ગજેરા, બટુકભાઇ મોવલીયા, શિવલાલભાઇ વેકરીયા, રમેશભાઇ ધડુક સહીતના અગ્રણીઓ, ધારાસભ્‍યો, સમાજશ્રેષ્‍ઠીઓએ હાજરી આપી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્‍યા હતા. આ પ્રસંગે દાતાશ્રીઓ તેમજ સમાજના આગેવાનોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય અને કન્‍યા કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે સ્‍વ.વિઠ્ઠલભાઇ રાદડીયાની સ્‍મૃતિમાં લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય દ્વારા આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. આજે ૧૬પ દિકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા છે અને સમાજ તરફથી રોકડ ચાંદલો રરરર અને સોના ચાંદીના દાગીના તેમજ  ઘરની ચીજવસ્‍તુઓ કુલ ૧ર૬ વસ્‍તુઓનો દીકરીઓને કરીયાવર આપવામાં આવેલ છે. જયેશભાઇ રાદડીયાએ દાતાશ્રીઓ તેમજ ઉપસ્‍થિત આગેવાનો અને પધારેલ જ્ઞાતિજનોનો આભાર વ્‍યકત કર્યો હતો. તેમજ છેલ્લા બે દિવસથી ખડેપગે સેવા આપનાર ૪૦૦૦ જેટલા સ્‍વયંસેવકોનો પણ આભાર વ્‍યકત કર્યો હતો. જામકંડોરણામાં ધારાસભ્‍ય જયેશ રાદડીયા પ્રેરીત લેઉવા પટેલ સમાજના સમુહલગ્ન પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. સેંકડો લોકોએ એક સાથે રાષ્‍ટ્રગીત ગાઇને દેશભકિતના દર્શન કરાવ્‍યા હતા. ૧૬પ જેટલા નવયુગલોને શુભેચ્‍છાથી ભીંજવ્‍યા હતા. (તસ્‍વીરો-અહેવાલઃ- મનસુખ બાલધા, જામકંડોરણા, સંદીપ બગથરીયા-રાજકોટ)

(11:25 am IST)