Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

આટકોટમાં દ્વારકા જતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્‍તાની સેવા ઉભી કરાઇ

આટકોટ : ધોળકા થી દ્વારકા જતા પદયાત્રીઓ માટે ગુંદાળા નાં મૂળૂભાઈ સહીત સેવા ભાવી દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું ધોળકા થી ૨૫૦ ભાવી ભક્‍તો પદયાત્રીઓ નિકળ્‍યા છે ત્‍યારે આટકોટમાં તેનાં માટે  સેવા ઉપલબ્‍ધ કરવામાં આવી જેને ચા પાણી નાસ્‍તો ની સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવી હતી પદયાત્રીઓએ જણાવ્‍યું હતું કે અમારો સંઘ ૨૫ વર્ષથી ધોળકા થી દ્વારકા જઈ રહ્યા છે જે 450 km ની પદયાત્રા કરી છે ત્‍યારે રસ્‍તામાં અમને ઘણા સેવા કેમ્‍પ દ્વારા સેવાઓ આપવામાં આવે છે સવારે ચા પાણી નાસ્‍તો બપોરે ભોજન તેમજ શરબતની સુંદર સુવિધાઓ ઉપલબ્‍ધ કરવામાં આવે છે  આટકોટમાં ગરમા ગરમ થેપલાં ચા છાસ નું વિતરણ કરવામાં આવ્‍યું હતું. પદયાત્રીઓમાં પણ આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. (તસ્‍વીર : કરશન બામટા,આટકોટ)

(10:40 am IST)