Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ભુજમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ૮૧ ગ્રામ પંચાયતભવનનું ઇ-લોકાર્પણ અને ૪૩ આંગણવાડી કામોનું ઇ-ખાતમુહૂર્ત

ભુજ;પંચાયત, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત કચ્છ-ભુજમાં સમાવિષ્ટ કુલ ૮૧ નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું ઇ-લોકાર્પણ અને ૪૩ નવીન આંગણવાડીના મકાનોનું ઇ-ખાતમુહૂર્ત વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા તા.૨૫-૦૨-૨૦૨૩, શનિવારના રોજ સાંજે ૪:૦૦ કલાકે ટાઉનહોલ ભુજ ખાતે કરાશે 

લોકાર્પિત થનારી ગ્રામ પંચાયતમાં ભચાઉ તાલુકામાં ૧, ગાંધીધામ ૧, અંજાર ૨, મુંદરા ૨, લખપત ૨, માંડવી ૭, ભુજ ૯, રાપર ૧૧, અબડાસા ૨૩, નખત્રાણામાં ૨૩ પંચાયતનો સમાવેશ થાય છે. જયારે આંગણવાડી કેન્દ્રોમાં ભચાઉ ૨, ગાંધીધામ ૨, અંજાર ૧, મુંદરા ૧, લખપત ૨, માંડવી ૧૫, ભુજ ૮, અબડાસા ૯ અને નખત્રાણામાં ૩ આંગણવાડીનો સમાવેશ થાય છે.

(10:08 am IST)