Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગોંડલ તા.પં. ઉપપ્રમુખ હરદેવસિંહનું રાજીનામુઃ ટીમ વર્કથી થશે કામગીરી

'હું' નહીં પણ 'આપણે'ની હકારાત્મક રાજનીતિ : ભ્રષ્ટાચાર નાબુદી અને લોકોના કામો કર્યાનો અસંતોષ

રાજકોટ, તા. ૨૪ :. ભાજપ શાસિત ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદેથી હરદેવસિંહ જાડેજા રાજીનામુ આપીને 'હું' નહીં પરંતુ 'આપણે'ની હકારાત્મક રાજનિતીનું ઉદાહરણ પુરૂ પાડયુ છે. તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, હોદ્દો સંભાળ્યો તે દિવસે જ કરેલી જાહેરાતનો અમલ કર્યો છે. તાલુકામાં સુંદર કામગીરી, ભ્રષ્ટાચારરહીત કાર્યક્રમોની યથાર્થતા પ્રજાએ સ્વીકારી તે જ મોટો સંતોષ.

ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના લઘુબંધુ અને ભાભીસાહેબ ગીતાબા જાડેજાના પ્રચારકાર્ય પૂરજોશમાં સંભાળનાર હરદેવસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, મતદાન બાદ સુલતાનપુર, ધરાબા સહિતના ગામોની મતપેટીઓ ખુલશે ત્યારે ગોંડલ તાલુકા પંચાયતની યશસ્વી કામગીરીના દર્શન થશે.

તેમણે જણાવ્યુ હતુ કે, મે જ્યારે ઉપપ્રમુખનો હોદો સંભાળ્યો હતો તે જ દિવસે આ હોદા પર જેમનો હક્ક છે તેને યશ આપેલ હતા. ગોંડલ તાલુકા પંચાયતમાં સ્વચ્છ કામગીરી અને ઝડપી વિકાસ કાર્યોને ૯૫ ટકા લોકોએ સર્વેમાં સ્વીકાર્યા એ જ મારી કામગીરીનો સંતોષ છે.

તેમણે ગીતાબા જયરાજસિંહ જાડેજાનો જ્વલંત વિજય નિશ્ચિત હોવાનો પુનરોચ્ચાર પણ કર્યો હતો.

(4:52 pm IST)