Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જામનગર પાસે અકસ્માતમાં ઘવાયેલા રાજકોટના કરશનભાઇ મીયાત્રાએ દમ તોડયો

ચાર માસ પહેલા બે બાઇક અથડાતા અકસ્માત થયો'તો

રાજકોટ તા. ર૪ :.. જામનગર પાસે હત્યા રોડ પર ચાર માસ પહેલા બે બાઇક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલા આહીર વૃધ્ધનું રાજકોટમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ ગાંધીગ્રામમાં મહાવીરનગરમાં રહેતા કરશનભાઇ કમાભાઇ મીયાત્રા (ઉ.૬૦) ગત તા. ર૭-૮ ના રોજ પોતાનું બાઇક લઇને જામનગર જતા હતાં. ત્યારે હાપા રોડ પર એક અજાણ્યો મોટર સાયકલ ચાલક સામેથી ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કરશનભાઇને માથામાં ગંભીર ઇજા થતા પ્રથમ જામનગર બાદ રાજકોટ ગોકુળ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. માથામાં ગંભીર ઇજાના કારણે તે કોમામાં જતા રહ્યા હતાં. બાદ તેની પોતાના ઘરે સારવાર ચાલુ હતી ગઇકાલે તેની તબીયત લથડતા તેને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાં તેનું મૃત્યુ નિપજયુ હોવાનું તપાસનીસ તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે  ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ ધાંધલીયાએ પ્રાથમિક કાગળો કરી જામનગર મોકલ્યા હતાં.

(11:33 am IST)