Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

પોરબંદરમાં માછીમારો સાથે સીધો સંવાદ કરનાર રાહુલ ગાંધી પ્રથમ રાજકીય નેતા

પોરબંદર તા. ર૪ :.. માછીમારોના શોષણ અને લાંબા સમયથી અણઉકેલ પ્રશ્નો સાંભળવા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માછીમારો સાથે બેઠક યોજી સીધો સંવાદ કરનાર આઝાદી બાદ પ્રથમ રાજકીય નેતા છે તેમના આગમનથી માછીમાર સમાજમાં ઉત્સાહ જોવા મળેલ છે.

શહેરમાં રાહુલ ગાંધીની મુલાકાતના પગલે ગઇકાલે સુરક્ષા રીહર્સલ કરવામાં આવેલ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામાં આવેલ છે. રાહુલ ગાંધી કીર્તિ મંદિરે પૂ. ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કર્યા બાદ બાજૂમાં આવેલ શ્રીનાથજી હવેલીએ દર્શન માટે આવે તેવી સંભાવના લઇ હવેલીના મુખ્યાજી જરૂર પડયે દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવાની તૈયારી કરી હોવાનું તેમણે જણાવેલ હતું.

(11:19 am IST)