Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગિરનાર ક્ષેત્રમાં સોમવારથી સંતો - ભાવિકો દ્વારા નવરાત્રી અનુષ્‍ઠાન

અંબાજી માતાજી મંદિરના પૂ. તનસુખગીરીબાપુ, ગૌમુખી ગંગામા પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂ. મુક્‍તાનંદબાપુ સહિતના શકિત માતાજીની આરાધના - ઉપાસના કરશે

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૪ : ભારતીય સંસ્‍કૃતિમાં શિવ અને શકિતનું મહત્‍વ અનેરૂ છે. શકિતની આરાધના -ઉપાસના કરવાના શ્રેષ્ઠ દિવસો એટલે શારદીય (આસો મહિનાની) નવરાત્રી.

આ દિવસોમાં મા ની આરાધના કરવાનું શ્રેષ્ઠ અને ઉતમોતમ ફળ મળે છે. હિમાલય થી પણ જે પૂરાણો છે એવા ગિરનાર પર્વત પર એકાવન શકિતપીઠો પૈકીની એક એવી મા અંબાજીની પીઠકે જેને ઉદયન પીઠ તરીકે ઓળખવામાં આવે છે તેમજ મહાકાલી માતાજી, ગુરૂદત્ત ભગવાન - ગુરૂ ગોરક્ષનાથ - ગોમુખી ગંગામાં આવેલા મા અન્નપૂર્ણા, કમંડલ કુંડ, બાવનવીર,ચોસઠ જોગણીઓ અને જૈન દેરાસર, ભરતવન, હનુમાનધારા, સાચા કાકાની જગ્‍યા, સહસાવન જૈન દેરાસર, શેષાવન, પથ્‍થર ચટ, સેવા દાસની જગ્‍યા, માળી પરબ, આનંદ ગુફા, મહાકાલ ગુફા તેમજ ૩૩ કોટી દેવી દેવતાઓનો જયા નિવાસ છે અને એક તરફ દાતારબાપુ અને એક બાજૂ જોગણીયા પર્વત પર જોગણેશ્વર મહાદેવ અને જટાશંકર મહાદેવ બિરાજમાન છે. આ દરેક જગ્‍યાઓ પર સોમવાર થી પ્રારંભ થઈ રહેલી નવરાત્રી માટેની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

અનુષ્ઠાન કરવાની અનેક પઘ્‍ધતીઓ વૈદિક પરંપરામાં બતાવવામાં આવી છે તેમાં પણ પહાડ ઉપર અને દેવી દેવતાની સન્‍મુખ કરવા આવતા જપ -તપનું અનેરૂ મહત્‍વ છે. અને તે અનેક ગણુ ફળ આપનાર છે.

મા જગદંબા અંબાજી મંદિર ખાતે તેમના મહંત મોટા પીરબાવાશ્રી તનસુખગીરી બાપુ તથા બ્રહ્મલીન નાનાપીર બાવા ગણપતગીરી બાપુની પ્રેરણાથી અંબાજી મંદિર ખાતે શ્રી તુષારગીરી, શ્રી યોગેશગીરી, શ્રી હિમાંશુગીરી, શ્રી શૈલેષગીરી, શ્રી દુષ્‍યંતગીરી, શ્રી કુંદનગીરી, શ્રી ભાર્ગવભાઈ અને શ્રી અભિષેકભાઈ અને તેમના સેવકો તેમજ ગૌ મુખી ગંગા ખાતે ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત અને પંચ અગ્નિ અખાડાના સભાપતિ પ.પૂ. મુકતાનંદ બાપુ તથા તેમની સાથે પંચ અગ્નિ અખાડાના સચિવશ્રી બ્રહ્મચારી સંપૂર્ણાનંદ બાપુ અનુષ્ઠાનનો પ્રારંભ કરી મા અન્નપૂણીની આરાધના કરશે સાચાકાકાની જગ્‍યા મહંતશ્રી ગોકર્ણાનંદજી અને સિંહપ્રેમીશ્રી રમેશભાઈ રાવલ, આનંદ ગુફા ખાતે સરસ્‍વતીમાતાજી અને અવધુત આશ્રમના મહાદેવગિરીબાપુ, મહાકાલી ગુફા ખાતે શ્રી ભરતદાસબાપુ સીતાવન ખાતે શ્રી ભગવતીદાસ બાપુ, સેવાદાસની જગ્‍યામાં શ્રી બ્રહમદાસ બાપુ, હનુમાનધારાની જગ્‍યામાં શ્રી વિશાલદાસ બાપુ, ભરતવન ખાતે શ્રી વિઠ્ઠલદાસ બાપુ, ગોરખનાથ શિખર પર શ્રી સોમનાથજી તેમજ કૌશિકભાઈ, કમંડલકુંડ શ્રી મહેશગીરી બાપુની પ્રેરણાથી કૈલાશભાઈ સહિતના સાધકો અનુષ્ઠાન કરે છે.

જટા શંકરની જગ્‍યાના મહંતશ્રી પૂર્ણાનંદ બાપુ રાજ રાજેશ્વરી પીઠખાતે દશ મહાવિદ્યાની આરાધના કરે છે. ગૌમુખી ગંગામાં જગદિશભાઈ હદવાણી જાણીતા શિક્ષણશાષાી સંજય ભીમાણી,  કેતનભાઈ પટેલ, નિતીનભાઈ પટેલ, રાજૂભાઈ ભીમાણી કે જેઓ લંડનથી આવીને માતાજીની આરાધના કરે છે.

તો પથ્‍થર ચટ્ટીની પ્રખ્‍યાત જગ્‍યામાં શ્રી તિરૂપતીબાલાજી (વિષ્‍ણુભગવાન) નદ સ્‍વરૂપની નિશ્રામાં ગાયત્રી મંદિરના ટ્રસ્‍ટીશ્રી નાગબાપુ વાળા, યોગીભાઈ પઢિયાર તેમજ માવસિંહ બારડ, જયકાંતભાઈ રાવલ, નિકુંજભાઈ ભટ્ટ સહિતના સાધકો ઘણા વર્ષોથી ત્‍યાં પહોંચીને માનુ અનુષ્ઠાન કરે છે.

જૂનાગઢ શહેરમાં પણ વાઘેશ્વરી મંદિર ખાતે ગાયત્રી શકિતપીઠ તેમજ રામવાડી -૨ ખાતે સામવેદ સંસ્‍કૃત પાઠશાળા વાળા ચેતનભાઈ શાષાી તથા તેમના શિષ્‍યો આ શ્રેષ્ઠ દિવસો હોઈ દરેક સાધકો નવેય દિવસોમાં માતાજીને ધુપ-દિપનૈવેધ -આરતી પ્રસાદ સાથે પૂજન કરે છે. મંત્ર તેમજ શ્રી દુર્ગા સપ્તસતી (ચંડીપાઠ)નું વાંચન, શ્રી સુકતના પાઠ કરે છે, અને હવનાષ્ટમી એટલે કે, આઠમના દિવસે માતાજીનો યજ્ઞ કરીને બીડુ હોમીને માં પાસે વિશ્વકલ્‍યાણની પ્રાર્થના કરે છે અને દિપાવલી અને નવુ વર્ષ માં સર્વેનુ આરોગ્‍ય સારૂ રહે તેવી પ્રાર્થના પણ કરવામાં આવશે.

સાથો સાથ દેશની સરહદો પર સિમાડા સાચવીને બેઠેલા વિર જવાનો માટે પણ વિશેષ પ્રાર્થના કરવામાં આવશે.

(1:31 pm IST)