Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જૂનાગઢમાં એનસીપીના વિજેતા ઉમેદવારોનું વિજય સરઘસ યોજાયુ

જુનાગઢ : ગઇકાલે કોર્પોરેશનની ચુંટણીમાં ભાજપના ઉમેદવારો  પ્રચંડ બહુમતીથી વિજેતા થયેલ જ્યાં વોર્ડ નં.૮માં એનસીપીની પેનલના અંદ્રેમાનભાઇ પંજા ,વિજયભાઇ વોરા, સેનીલાબેન થઇમ, જેબુનીશાબેન કાદરી સહિત ચારેય ઉમેદવારો વિજેતા ઉમેદવારો સાથે  એનસીપીના પ્રભારી રેશ્મા પટેલ તેમજ શહેર પ્રમુખ રણમલભાઇ સિસોદીયા અને ટેકેદારો જોડાયા હતા. એનસીપીના કાર્યાલય ખાતે  પત્રકાર પરિષદમાં શ્રી રેશ્મા પટેલ એ જણાવ્યુ હતુ કે જૂનાગઢ કોર્પોરેશનમાં અમારી બીજા નંબર ની પાર્ટી બનાવવા બદલ જનતાનો આભાર માનુ છુ. અને શંકરસિંહજી વાઘેલાની આગેવાનીમાં અમો એનસીપીનું સંગઠન વધુ મજબુત  બનાવશુ. અને વિરોધપક્ષના નેતા તરીકે અંદ્રેમાનભાઇ પંજા મજબુતીપૂર્વક ભૂમિકા ભજવશે અને લોકોના અવાજ સાથે પ્રજા લક્ષી કામગીરી  ને વેગ મળે તે માટે સૌ કાર્યશીલ રહેશે. આ તકે રણમલભાઇ સિસોદીયાએ  મતદારોનો આભાર વ્યકત કરેલ. (અહેવાલ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા )

(1:15 pm IST)