Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જસદણના મન્સુરભાઇને અખતરો ભારે પડ્યો...સારવાર લેવી પડી

કબ્રસ્તાન પાસેથી પ્રવાહીની બોટલ મળી, પાણીમાં ભેળવી પીતા તબિયત બગડતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૪: જસદણમાં બેઠા પુલ પાસે રહેતાં મન્સુરભાઇ યુનુસભાઇ ખિમાણી (ઉ.૪૪)ને કોઇ પ્રવાહી પીધા બાદ ચક્કર આવતાં તબિયત બગડતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ જાણ કરી હતી.

મન્સુરભાઇ સોડાની દૂકાનમાં કામ કરે છે. તેના કહેવા મુજબ કબ્રસ્તાન પાસેથી કોઇ પ્રવાહીની બોટલ મળતાં પાણીમાં ભેળવીને પીધા બાદ ચક્કર આવ્યા હતાં. પ્રવાહી શું હતું? તે અંગે પોતાને ખબર ન હોવાનું કહ્યું હતું. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:30 am IST)