Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

વાંકાનેરમાં શિવજી વન

વાંકાનેર  વિદ્યાભારતી સંકુલ પાસેની જગ્યામાં શિવજી વન બનાવી હરીયાલુ વાતાવરણ ઉભુ કરવાના શ્રેષ્ઠ નિર્ણય સાથે વિદ્યાભારતી સંચાલીત કે. કે. શાહ માધ્યમિક વિદ્યાલય વાંકાનેર અને લાયન્સ કલબ ઓફ દેવદયાના સંયુકત ઉપક્રમે વિદ્યાભારતી પાસેની ખાલી જગ્યામાં વૃક્ષો વાવવાનું સુંદર આયોજન સાથે ડેપ્યુટી કલેકટર એન. એફ. વસાવાના હસ્તે શિવજી વન માં વૃક્ષા રોપણ કરવામાં આવેલ. જેમાં ૧૦૦થી વધુ રોપાનું રોપણ કરી તેને વટ વૃક્ષ બનાવી હરીયાલુ વાતાવરણ ઉભુ કરવા માટે વિદ્યાભારતી શાળના શિક્ષક ભુપતભાઇ છૈયા, શિક્ષક ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિનુભાઇ રૂપારેલીયા અને શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી જવાબદારી સ્વીકારી હતી. વૃક્ષારોપણ કાર્યક્રમમાં વાંકાનેર ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઇ પટેલ, વાંકાનેર લાયન્સના પ્રમુખ રાકેશભાઇ બદ્રકીયા, વિરાજ મહેતા, દિનેશભાઇ પ્રજાપતી, નિરવ મજીઠીયા, સહિતના લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.વૃક્ષારોપણ બાદ વૃક્ષનું જતન કરવુ, સ્વદેશી વસ્તુ અપનાવવા માટેના સૌએ શપથ લીધા હતાં. વૃક્ષારોપણ કરવામં આવ્યું તે તસ્વીર. (તસ્વીર : નિલેશ ચંદારાણા વાંકાનેર)

(11:22 am IST)