Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાવનગરના ગોરખી ગામે ઢેલના શિકાર કરતા ફોરેસ્ટ વિભાગ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી

ગોરખી ગામના લોકોની જાગૃતતાથી ઢેલને મૂકી શિકારીઓને ભાગી જવું પડ્યું

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪ :  તળાજા નજીક ના ગોરખી ગામની વાડી વિસ્તારમાં હાલ મોર ઢેલ મોટી સંખ્યાંમાં વિચરણ કરે છે. જેમાં મોરનું માસ ખાવાની ટેવ ધરાવતા ઈસમોએ ઢેલનો શિકાર કરેલ હતો.જેની જાણ તળાજા વાઇલ્ડ લાઈફ વિભાગને થતા ઢેલનું પી.એમ કરાવી અજાણ્યા ઈસમો વિરુદ્ઘ ગુન્હો નોંધેલ છે.

બનાવ અનુસંધાને તળાજાના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અર્પિત બારૈયા એ જણાવ્યું હતુંકે ગોરખી ગામે શિડયૂઅલ -૧ ના પક્ષી મોર(ઢેલ) ને શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવી છે.ગામ લોકો ને જોઈ શિકારીઓ ઢેલને મૂકી ભાગી છૂટ્યા હતા. વન વિભાગે ઢેલનું પી.એમ કરાવેલ.ઢેલને ડોકિ મરડી મારી નાખવામાં આવેલ. આ બનાવ ને લઈ અજાણ્યા ઈસમો વિરુદ્ઘ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દેવલી ગામના શિકારીઓ હોવાનુ ફોરેસ્ટને જાણમાં આવતા તે દિશામાં તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)