Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

બાર એસો.ના પુર્વ પ્રમુખ તુલશીદાસ ગોંડલીયાએ કોરોના વેકસીનનો ડોઝ લીધો

લોકોને ડર દુર કરી રસી લેવા ગોંડલીયાની અપીલ

રાજકોટ તા. ર૪ : વકીલોમાં ખુબજ લોકપ્રિય એવા રાજકોટ બાર એસો.ના પુર્વ પ્રમુખ અને જાણીતા એડવોકેટ તુલશીદાસ બી. ગોંડલીયાએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.

એડવોકેટ ગોંડલીયાએ વેકસીન લીધા બાદ લોકોને ડર દુર કરવા અને શારીરીક સલામતી માટે રસી લેવાની લોકોને સલાહ આપી હતી. એડવોકેટ ગોંડલીયા આ ઉંમરે પણ ઘણી વખત અમરનાથ મહાદેવની યાત્રા કરેલ છે કોરોનાના કેસો વધતા જાય છે. ત્યારે વેકસીન લઇને સલામત જીવન વીતાવવા તેઓએ સૌ કોઇને અપીલ કરી હતી.

(11:33 am IST)