Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

સોમવારે મોરબીમાં ડો.મોનિકા શાહનો ''રસકે ભરે તોરે નૈન'' સંગીત કાર્યક્રમ

રાજકોટ,તા.૨૪: તા.૨૬ સોમવારે મોરબીમાં સંગીત આરાધનાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. સ્વરાંગન દ્વારા આરાધના સંગીત એકેડેમીનાં સંથાથે ''રસકે ભરે તોરે નૈન'' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ગાયક કલાકાર ડો.મોનિકા શાહ લદ્મ વિભુષણ વિદુષી ગિરીજાદેવીના મુખ્ય શિષ્યા ઠુમરી, હોરી, ચૈત્રી, હાદરા,ઝૂલો અને ભજન રજુ કરશે.

સંગીત આરાધના કાર્યક્રમ માણવા તા.૨૬ને સોમવારે રાત્રે ૮:૩૦ થી ૧૧ સુધી મ્યુનીસીપલ કોર્પોરેશન ટાઉન હોલ મોરબી ખાતે ઉપસ્થિત રહેવા સ્વરાંગનના આયોજક હંસરાજભાઈ ગામીએ આમંત્રણ પાઠવ્યુ છે.

(11:42 am IST)