Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મિંતાણાની ફેકટરીમાં કેમિકલ ઢોળાતા દાઝેલા યુ.પી.ના દિવાંકર મિશ્રાનું મોત

ગત સાંજે અમદાવાદથી ગાડી લઇ કેમિકલ ભરવા આવ્યો'તોઃ સારવારમાં સવારે દમ તોડ્યો

રાજકોટ તા. ૨૪: મિંતાણામાં હમીરપર રોડ પર આવેલી ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરીમાં ગત સાંજે અમદાવાદના ટ્રાન્સપોર્ટમાંથી ગાડી લઇ કેમિકલ ભરવા આવેલા મુળ યુ.પી.ના હાલ વસ્ત્રાલમાં રહેતાં દિવાંકર જોસમસિંગ મિશ્રા (ઉ.૩૫) નામના ટ્રક ડ્રાઇવર પર અકસ્માતે કેમિકલ ઢોળાતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

દિવાંકર કેમિકલ ભરાવી રહ્યો હતો ત્યારે પાઇપ છટકતાં તેની માથે કેમિકલ પડતાં દાઝી ગયો હતો. સારવાર દરમિયાન વહેલી સવારે દમ તોડી દેતાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતો. સંતાનમાં બે પુત્ર છે. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:42 am IST)