Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

કલ્યાણપુર તાલુકાના ભોપાલકામાં 'પદ્માવત'ના વિરોધમાં ભભૂકતો રોષ : ટ્રેન રોકો આંદોલન

જામનગર : તસ્વીરમાં ટ્રેન રોકીને વિરોધ વ્યકત કરતા ગ્રામજનો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા. ર૪ : 'પદ્માવત' ફિલ્મ સામે ભારે રોષ ફેલાયો છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરીને આક્રોશ વ્યકત કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે જામકલ્યાણપુર તાલુકાના ભોપાલકામાં રાજપૂત સમાજના ટોળા દ્વારા ટ્રેન રોકો આંદોલન કરીને આક્રોશ ઠાલવ્યો હતો.  આજે બપોરે ભોપાલકામાં રાજપૂત સમાજના લોકો ટોળા સ્વરૂપે એકત્ર થયા હતાં અને ર૦૦ જેટલા લોકોએ ભાવનગર-ઓખા ટ્રેનને રોકીને 'પદ્માવત' ફિલ્મ સામે રોષ વ્યકત કર્યો હતો.

ત્યારબાદ રેલ્વે પોલીસ અને સ્થાનીક પોલીસે ટોળાને વિખેરી નાંખ્યું હતું.

(3:48 pm IST)