Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામનગર આયુર્વેદ યુનિવસિટીમાં હંગામી કર્મચારીઓનો પગાર ન થતા હોબાળો : આવેદન

કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા ડાયરેકટરશ્રીને રજૂઆત

જામનગર : તસ્વીરમાં હંગામી કર્મચારીઓ રજૂઆત કરતા નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

 જામનગર, તા. ર૪ :  જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં હંગામી કર્મચારીઓએ પગાર મુદ્દે હંગામો મચાવીને ડાયરેકટરશ્રીને આવેદન પત્ર પાઠવીને રોષ વ્યકત કર્યો હતો.

આવેદનપત્રમાં હંગામી કર્મચારીઓએ જણાવ્યું હતું કે રોજમદાર કર્મચારીઓને પગાર ભથ્થામાં ખુબ જ અનિયમિતતા છે.

રોજમદાર કર્મચારીઓને થઇ રહેલા અન્યાય મુદ્દે તાકીદે યોગ્ય કરીને હાલાકી દૂર કરવા માંગણી કરી છે.

(3:47 pm IST)