Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઉના હાઇવે ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરનાર ૭ યુવાનો તથા ૩૦ અજાણ્યા શખ્સો સામે ગુન્હો

ખાનગી માલીકીના ર૦ ટાયરો લઇ સળગાવીને ૧૦ હજારનું નુકસાનઃ પદ્માવતના વિરોધમાં હાઇવે મિલ્કતને નુકસાન તથા વાહન આવન-જાવનમાં રોક સામે પોલીસ ફરિયાદ

ઉના તા. ર૪ :.. ગઇકાલે ઉના-ભાવનગર હાઇવે ઉપર પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરનાર ગરાબ તથા આજૂબાજૂ ગામના ૭ યુવાનો તથા ૩૦ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ બાદ ઉના પોલીસ સ્ટેશનમાં  ગુન્હો નોંધાયો છે.

પીએસઆઇ આર. એન. રાજયગુરૂએ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે ગરબા તથા આજૂ-બાજૂ ગામના બહાદુરસિંહ કાણીકબરડા, ટીનો રે. ટીંબી, હેમતસિંહ એગરામ, મહાવીરસિંહ ગરાબ, મુકેશ ટીલુભા ગરાબ, ક્રિપાલસિંહ કાણીકબરડા, સંજય રાઠોડ રે. ગરબા, તથા ગરાબ અને આજૂ-બાજૂ ગામના ૩૦ અજાણ્યા શખ્સોએ  ઉના-ભાવનગર હાઇવે ઉપર પદ્માવત ફિલ્મના વિરોધમાં છગનગીરી બાવાગીરીની માલીકીના ર૦ ટાયરો જે લઇને  ગેરકાયદે સળગાવીને ૧૦ હજારનું નુકસાન તથા હાઇવે મિલકતને નુકસાન અને વાહનોના આવન-જાવન ઉપર રોકાવી દેતા તમામ સામે ગુન્હો નોંધાયો છે. પીએસઆઇ  કાચા વધુ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)