-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Wednesday, 24th January 2018
ઉના હાઇવે ઉપર ટાયરો સળગાવી ચક્કાજામ કરનાર ૭ યુવાનો તથા ૩૦ અજાણ્યા શખ્સો સામે ગુન્હો
ખાનગી માલીકીના ર૦ ટાયરો લઇ સળગાવીને ૧૦ હજારનું નુકસાનઃ પદ્માવતના વિરોધમાં હાઇવે મિલ્કતને નુકસાન તથા વાહન આવન-જાવનમાં રોક સામે પોલીસ ફરિયાદ
ઉના તા. ર૪ :.. ગઇકાલે ઉના-ભાવનગર હાઇવે ઉપર પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવીને ચક્કાજામ કરનાર ગરાબ તથા આજૂબાજૂ ગામના ૭ યુવાનો તથા ૩૦ અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરીયાદ બાદ ઉના પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
પીએસઆઇ આર. એન. રાજયગુરૂએ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે ગરબા તથા આજૂ-બાજૂ ગામના બહાદુરસિંહ કાણીકબરડા, ટીનો રે. ટીંબી, હેમતસિંહ એગરામ, મહાવીરસિંહ ગરાબ, મુકેશ ટીલુભા ગરાબ, ક્રિપાલસિંહ કાણીકબરડા, સંજય રાઠોડ રે. ગરબા, તથા ગરાબ અને આજૂ-બાજૂ ગામના ૩૦ અજાણ્યા શખ્સોએ ઉના-ભાવનગર હાઇવે ઉપર પદ્માવત ફિલ્મના વિરોધમાં છગનગીરી બાવાગીરીની માલીકીના ર૦ ટાયરો જે લઇને ગેરકાયદે સળગાવીને ૧૦ હજારનું નુકસાન તથા હાઇવે મિલકતને નુકસાન અને વાહનોના આવન-જાવન ઉપર રોકાવી દેતા તમામ સામે ગુન્હો નોંધાયો છે. પીએસઆઇ કાચા વધુ તપાસ હાથ ધરી છે.
(11:46 am IST)