Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામનગરમાં ઔ.સહ.ઝાલાવાડી બ્રાહ્મણ સમાજ દ્વારા સન્માન

 જામનગર : ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ (વહેવાર વાળા) દયાશંકર બ્રહ્મપુરી, જામનગર દ્વારા તાજેતરમાં સ્નેહમિલન અને જ્ઞાતિનાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સમિતિ દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સર્વ પ્રથમ જ્ઞાતિનાં કાર્યવાહક પ્રમુખ નવલશંકર રાવલ, મંત્રી મનહરભાઇ ત્રિવેદી, શિક્ષણ સમિતિનાં પ્રમુખ અતુલભાઇ વ્યાસ તેમજ શિક્ષણ સમિતિનાં ઉપપ્રમુખ જીતેન્દ્રભાઇ જોશી દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષણ સમિતિનાં પ્રમુખ અતુલભાઇ વ્યાસ તેમજ શિક્ષણ સમિતિનાં ઉપપ્રમુખ જીતેન્દ્રભાઇ જોશી તેમજ શિક્ષણ સમિતિનાં સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રસંગે જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જ્ઞાતિનાં કારોબારી સભ્ય રાજેન્દ્રભાઇ દવેએ કરેલ હતું. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી)

(11:41 am IST)