Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

માળીયાહાટીનામા ગ્રામ પંચાયત દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે

લોહાણા સમાજ દ્વારા વીરદાદા જશરાજ દિને નાત જમણ યોજાયુ

માળીયાહાટીના તા. ૨૪: માળીયાહાટીના ગ્રામપંચાયત દ્વારા આગયામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવનાર છે.

માળીયા હાટીનાની ગર્લ્સ હાઇસ્કૂલમાં સવારે ૯.૩૦ કલાકે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રાષ્ટ્રગાનની ગુંજો લહેરાશે.

આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમોનુ પણ આયોજન કરેલ હોય ગ્રામજનોને ઉપસ્થિત રહેવા ગ્રામપંચાયતના સરપંચની યાદીમાં જણાવાયુ છે.

વીરદાદા જશરાજના શૌર્ય દિનની ઉજવણી

માળીયા હાટીના લોહાણા મહાજન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.રરના રોજ લોહાણા જ્ઞાતિના વીરદાદા જશરાજના જન્મદિન શૌર્યદિનની ઉજવણી કરાઇ હતી આ તકે મહિલાઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથાનું  આયોજન કરાયેલ હતું. સાંજે ૭.૦૦ વાગ્યે જ્ઞાતિભોજન યોજાયેલ જમેા બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:40 am IST)