Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઉના હાઇવે ઉપર ટાયરો સળગાવી પદ્માવત ફિલ્મનો વિરોધ

ઉનામાં પદ્માવતનો વિરોધ :.. ઉના હાઇવે ઉપર પદ્માવત ફિલ્મના વિરોધમાં ટાયરો સળગાવી ચક્કાજામ કરેલ તે તસ્વીર.

ઉના તા.૨૪: ઉના-ભાવનગર હાઇવે રોડ ઉપર ગરાળ ગામના પાટીયા પાસે એક ટોળાએ રોડ ઉપર ટાયરો રાખી સળગાવી પદમાવત ફિલ્મનો વિરોધ કરી ચક્કા જામ કર્યો હતો. પોલીસ તથા ફાયર બ્રીગેટ સ્થળ ઉપર પહોંચી આગ ઠારી ટોળુ વિખેરી રસ્તો ખુલ્લો કર્યો.આજ રોજ બપોરના સમયે ઉનાથી ૭ કિ.મી. દૂર ઉના ભાવનગર નેશન હાઇ રોડ ઉપર ગરાળ ગામના પાટીયા પાસે એક ૩૦ થી વધુ લોકોનુ ટોળુ પદ્માવત પિકચર રીલીઝ ન કરવાના સુત્રાચારો સળગાવી વિરોધ કરતા બન્ને બાજુ વાહનો થપ્પા લાગી ગયા હતા. પરંતુ ઉના પોલીસ સ્ટેશનને જાણ થતા તુરંત સ્ટાફ સ્થળે પહોચી ટોળાને વિખેરી ઉના નગરપાલીકાના ફાયર બ્રિગેડને જાણ કરતા તુરંત સ્થળ ઉપર પહોચી સળગતા ટાયર ઠારી એક કલાક બાદ રસ્તો ખુલ્લો કર્યો હતો. એક કલાક સુધી ઉનાથી ભાવનગર તરફ એક પણ એસ.ટી.બસ ઉપાડી ન હતી ત્યારબાદ એસ.ટી.બસ શરૂ કરી હતી.

(11:38 am IST)