Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામકંડોરણામાં ભૂપેન્દ્રસિંહ ચુસાસમાના હસ્તે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક દિને તિરંગો લહેરાશે

જામકંડોરણા તા.૨૪: રાજકોટ જીલ્લા કક્ષાના ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાકીઘ્નની ઉજવણી જામકંડોરણા ખાતે થશે જામકંડોરણા ખાતે કાલાવાડ રોડ પર કુમાર છાત્રાલય પાસેના ગ્રાઉન્ડમાં તા.૨૬મીએ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે.

ઉજવણીના કાર્યક્રમમાં  પરેડ, સાંસ્કૃકિ કાર્યક્રમો, સનમાન સહિતના વિવિધ કાર્યક્રમોનું  આયોજન કરવામા આવેલ છે. આ તકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પુરા થયેલા કામોનુ લોકાર્પણ તથા લાભાર્થીને ચાવી આપીને અભિનંદન કરવામા આવશે. તેમજ વિશિષ્ટ વ્યકિતઓનુ અને સ્વતંત્રય સેનાનીઓનું સનમાન મંત્રીશ્રીના હસ્તે કરવામા આવશે.

કાર્યક્રમનું  રીહર્સલ માન. કલેકટરના અધ્યક્ષસ્થાને  તા. ૨૪ના રોજ સવારના ૧૦ કલાકે ધ્વજવંદન કાર્યક્રમના સ્થળે રાખવામા આવેલ છે આ પર્વની ઉજવણી નિમિતે સરકારી મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. જીલ્લા કલેકટરશ્રી ડો.વિક્રાંત પાંડે સહબેનના માર્ગદર્શન નીચે ધોરાજી પ્રાંત અધિકારી જોષી જામકંડોરણા મામલતદાર અપારનાથી સહીતની જીલ્લા વહીવટી તંત્રની ટીમ તૈયારીઓ માટે સતત કાર્યરત છે.

(11:38 am IST)