Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પોરબંદર જેસીઆઈના હોદેદારોની શપથવિધિ

પોરબંદરઃ જેસીઆઈ (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) પોરબંદરના વર્ષ ૨૦૧૮ના નવા નિમાયેલા પ્રમુખ અને તેમની ટીમના તમામ સભ્યોનો શપથવિધિ સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રમુખ તરીકે સંદિપ કાનાણી, સેક્રેટરી નિલેશ જોગીયા, જેસીરેટ વિંગ ચેરપર્સન જિજ્ઞા રાડીયા, જે.જે.વિંગ ચેરમેન મિત ગંધા તથા ટીમના તમામ સભ્યોએ આગામી વર્ષમાં પોરબંદરની યુવા પેઢી માટે વ્યકિતત્વ વિકાસના અનેક કાર્યક્રમો દ્વારા પોરબંદરને એક નવી દિશા આપવા ઉદાહરણરૂમ કાર્ય કરવાના શપથ લીધા હતા. વર્ષ ૨૦૧૪માં સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયાના નેતૃત્વમાં શરૂ થયેલી આ આંતરરાષ્ટ્રીય સંસ્થા ૨૦૧૫માં બિરાજ કોટેચા, ૨૦૧૬માં સંજય કારીયા અને વર્ષ ૨૦૧૭માં કલ્પેશ અમલાણીના પ્રમુખપદ નીચે ચાર વર્ષ પુરા કરી પાંચમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. આ કાર્યક્રમમાં કીનોટ સ્પીકર તરીકે અર્જુનભાઈ મોઢવાડીયા, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક શોભા ભુતડા, શપથવિધિ અધિકારી હિમાંશુ જેઠવા, અતિથિ વિશેષ સંજય કારીયા અને પોરબંદર શહેરની જુદી જુદી સંસ્થાઓના પ્રમુખો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી જેસીઆઈની પ્રવૃતિઓને બિરદાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદર પ્લસની ટીમના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ડો. રાજેશ કોટેચાએ કર્યુ હતું શપથવિધિ સમારંભની તસ્વીર

(11:35 am IST)