Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વાંકાનેરમાં રીહર્સલ

વાંકાનેર : પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી વાંકાનેરના અમરસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે થવાની હોઇ, તેની તૈયારીઓનો ધમધમાટ છેલ્લા ત્રણેક દિવસથી જોવા મળી રહ્યો છે જે અંતર્ગત મોરબી જીલ્લા કલેકટર આઇ. કે. પટેલ, અધ્યક્ષતામાં આ કાર્યક્રમના રીહર્સલના ભાગ રૂપે બાળકો દ્વારા સાંસ્કૃતિક  કાર્યક્રમો તથા આજના રીહર્સલની તૈયારીઓ થઇ રહી હોઇ, જીલ્લા કલેકટર, એસ. પી., ડીડીઓ, નાયબ કલેકટર, નાયબ મામલતદાર તથા વહીવટી અધિકારીઓ આ પૂર્વ તૈયારી રૂપ કાર્યક્રમમાં હાજરી આપતા નજરે પડે છે. (તસ્વીર :મહમદભાઇ રાઠોડ)

(11:32 am IST)