પ્રભાસપાટણ તા.૨૪: ઘેડીયા કોળી સમાજ પ્રભાસ પાટણ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયેલ જેમાં પ્રભાસપાટણ કોળી સમાજના વિવિધ અભ્યાસક્રમોના તેજસ્વી ૧૬૪ વિદ્યાર્થીઓનું સન્માન થયેલ અને ગીર-સોમનાથ જીલ્લામાં કોળી સમાજના ચૂટાયેલા ધારાસભ્યોનું સન્માન થયેલ અને કોળી સમાજમાંથી ગત વર્ષમાં ૮ નોકરીમાં લાગેલા તેઓનું સન્માન કરવામાં આવેલ.
આ તકે આર્શિવચન સ્વામીનારાયણ ગુરૂકુળના સ્વામી ભકિતપ્રસાદ અને માધવ સ્વામી દ્વારા આપવામાં આવેલ અને સ્વાગત પ્રવચન પ્રભાસપાટણ વેડીયા કોળી સમાજના પ્રમુખ અને ગીર-સોમનાથ કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ વાસાભાઇ ગઢીયાએ કરેલ ઉનાના ધારાસભ્ય પૂજાભાઇ વંશ, આંસદ રાજેશભાઇ ચૂડાસમા, માંગરોલના ધારાસભ્ય બાબુભાઇ વાજા, અને સોમનાથના ધારાસભ્ય વિમલભાઇ ચૂડાસમાએ કરેલ અને જણાવેલ કે સમાજના તેજસ્વી વિદ્યાર્થીનુ સન્માનએ ખૂબજ સારીવાત છે અને સમાજમાં શિક્ષણ ઉપરખાસ ભાર મુકેલ તેમજ વ્યસન મુકિતે, ખોટા ખર્ચાઓ બંધ કરવા સહિતના વિષયો ઉપર પ્રાસંગીક પ્રવચનો આપેલ.
આ સમારોહમાં જા.પ.વિરોધ પક્ષના નેતા નારણભાઇ મેર, સમસ્ત કોળી સમાજના પ્રમુખ લખમણભાઇ સોલંકી, તેમજ અન્ય મહાનુભવોમાં જા.પ.ના સદસ્ય જાદવભાઇ કામળીયા, રૂડાભાઇ શિંગોડ, ચેરમેન વિજય બામણીયા, જા.પ.ના સદસ્ય બાબુભાઇ વાઘેલા, જા.પ.ના. ઉપપ્રમુખ બાબુભાઇ પરમાર, વેરાવળ તા.પ.ના ઉપપ્રમુખ દેવાયતભાઇ મેર, તા.પ.ના સભ્યો મંજુબેન મેર, મધુબેન બારૈયા, ભાનુબેન વાજા, દેવાભાઇ વાઢેર, કિશનભાઇ બામણીયા, નગરપાલીકાના સભ્યો બબીબેન વાળા, કિશનભાઇ બામણીયા, ઉપપ્રમુખ અખિલભારતીય કોળી સમાજ અનિલભાઇ જેઠવા, મહામંત્રી જેન્તીભાઇ વાયલુ, રામભાઇ સોલંકી, રામજીભાઇ ડાભી, મંત્રી નારણભાઇ વાયલુ, મહિલા જીલ્લા પ્રમુખ રાજીબેન સોલંકી, જીલ્લા યુવા પ્રમુખ રાકેશભાઇ ચૂડાસમા, વેરાવળ તાલુકા પ્રમુખે દેવાયતભાઇ મેર, સુત્રાપાડા તા.પ્રમુખ ઉકાભાઇ વંશ, સુત્રાપાડા શહેર પ્રમુખ મશરીભાઇ જેઠવા, ગીર-ગઢડા તા.પ્રમુખ ધીરૂભાઇ મકવાણા, ઉના તાલુકા પ્રમુખ અરજણભાઇ મજીઠીયા, ઉના શહેર પ્રમુખ દેવસીભાઇ બામણીયા, રમેશભાઇ કેશવાલા (મા.ભાજપ પ્રમુખ), દેવાભાઇ ધારેસા (એડવોકેટ) જયેશભાઇ મેર (એડવોકેટ) કાન્તીભાઇ બામણીયા (એડવોકેટ), એલ.બી.બામણીયા (સર્વેયર), વેરાવળ કોળી સમાજના પટેલો, વીરજીભાઇ જેઠવા, કરશનભાઇ વાજા, કાળુભાઇ ચારીયા, રામજીભાઇ વાયલુ, ઉપપ્રમુખ પ્રભાસપાટણ કોળી યુવા મંડળ જેન્તીભાઇ વાજા, સહિતના ગામેગામના સરપંચો, કોળી સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપટી પડેલ હતા આ સન્માન સમારોહ સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે રાખવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઇ દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રભાસપાટણ ઘેડીયા કોળી સમાજના પ્રમુખ કાનાભાઇ ગઢીયા, નાના કોળી સમાજના પ્રમુખ કિશનભાઇ પરમાર, માંડાભાઇ બાંમણીયા પુંજાભાઇ બામણીયા, દિનેશભાઇ વાજા, કાળાભાઇ ગઢીયા, કરશનભાઇ વાયલુ, મુળજીભાઇ બામણીયા, જેશલભાઇ ભરડા, રામભાઇ સોલંકી, પરબતભાઇ બામણીયા પૂજાભાઇ ગઢીયા, ઉકાભાઇ ગઢીયા, રમેશભાઇ નાવદ્વા તેમજ જુદા-જુદા મંડળોના પ્રમુખો અને યુવાનો તેમજ સ્વયંત સેવકોએ જહેમત ઉઠાવી હતી.