Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ભાવનગર જીલ્લા સિન્ધી સમાજ દ્વારા થાહિરિયાસિંઘજીનો વરસીનો ઉત્સવ

ભાવનગર તા. ર૪ : ભાવનગર જીલ્લા સિન્ધી સમાજ દ્વારા તા.ર૪-રપ-ર૬ (બુધ-ગુરૂ-શુક્ર) સતત ત્રણ દિવસ ભાવનગર, શીહોર, પાલીતાણા ધોળા સહિત અનેક શહેરોમાં સિન્ધીસમાજના મહાન સંતશ્રી થાહિચ્યિાસિંઘજીનો ૯૧ મો સાલાના વરસી સમાગમ ઉજવાશે.

ભાવનગર રસાલા કેમ્પમાં આવેલ શ્રી ગરૂનાનક ન્યુ ગુરૂ દ્વારામાં અમૃતસર (પંજાબ) ના આંતરરાષ્ટ્રીય ગુરબાની કથા-કિર્તનકાર જસવિંદરસિંઘજી પોતાના મધુર કંઠ તા. ર૪ રાત્રે ૮-૩૦ થી ૧૦ તા.રપ સવારે ૭-૩૦ થી ૯ રાત્રે ૮-૩૦ થી ૧૦ તા. ર૬ સવારે ૮ થી ૮-૩૦ રાત્રે ૮-૩૦ થી ૧૦ પોતાના મધુર કંઠે ગુરબાની કથા કિર્તનનો સરપાન કરાવી તા. ર૬ સવારે ૧૦-૩૦ કલાકે ખુલ્લો લંગરપ્રસાદનો આયોજન ભાવનગર ન્યુ ગુરૂદ્વારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે.

પાલીતાણા સંત બાબા થાહિચ્યિાસિંઘજી શ્રી ગુરૂનાનક ગુરૂદ્વારામાં લંગર હોલમાં તા. ર૪-રપ-ર૬ ત્રણ દિવસ અમૃતસર (પંજાબ) ના આંતરરાષ્ટ્રીય ગુરબાની કથા-કિર્તનકાર ભાઇ સાહેબ મનપ્રીતસિંઘજીનો સવારે અને રાત્રે સત્સંગ લંગર હોલમાં થશે તા.ર૬મી રાત્રે ૧૦ કલાકે ખુલ્લા લંગર પ્રસાદનો સુંદર આયોજન સંત બાલફુલવાડી મંડળ પાલીતાણા સિન્ધીસમાજ દ્વારા કરવામાં આવેલ છે.

આ ઉપરાંત શીહોર, ધોળા, અમદાવાદ સરદારનગર કુબેરનગર સર્વત્ર સિન્ધી સમાજ દ્વારા સંતબાબા થાહિરિયાસિંઘનો વરસી ઉત્સવમાં તન-મન-ધનની સેવા સત્સંગ કરી પોતાનું જીવન સફળ બનાવશે.

(11:27 am IST)