Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

પાલીતાણાના ઠાડચ ગામે નિમ્બાર્ક આશ્રમના મહંત ઉપર હુમલો

ભાવનગર તા. ર૪ : પાલિતાણાના ઠાડચ ગામ નજીક આવેલ નિમ્બાર્ક આશ્રમમાં ગત મોડી રાત્રીના સમયે અજાણ્યા પાંચ શખ્સો લૂંટના ઇરાદે આવ્યા હતા અને આશ્રમના મહંત કાનદાસબાપુ પર હુમલો કરતા મહંતને ગંભીર ઇજા થઇ હતી.

ઇજાગ્રસ્ત મહંતને સારવાર અર્થે પ્રથમ તળાજા અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ બનાવ અંગે આશ્રમમાં સેવા આપતા સેવકે માહિતી આપી હતી.

મહંત પર હુમલાની ઘટનાના પગલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:27 am IST)