Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વેરાવળમાં જલ્યાણ ગ્રુપ દ્વારા વીરદાદા જશરાજજીના શૌર્યદિનની ઉજવણી

 વેરાવળઃ ૧૧ વર્ષથી જશરાજજી શૌય દિન નિમિતે જલ્યાણ ગ્રુપ દ્વારા જ્ઞાતિ સમૂહ ભોજન કરાયુ છે. આ વર્ષે પણ જ્ઞાતિ ભોજનમાં હજારો ભાઇઓ-બહેનો ઉમટી પડેલ હતા. લોહાણા બોર્ડીંગના ગ્રાઉન્ડમાં વીરદાદા જશરાજજીના શૌર્ય દિન નિમિતે રઘુવંશી પરિવારના અનેક આગેવાનો તેમજ હજારો પરિવારની ઉપસ્થિતિમાં સમૂહ ભોજન-પ્રસાદીનું આયોજન કરાયુ હતુ. વિશાળ ગ્રાઉન્ડમાં હજારો રઘુવંશી ઉમટી પડતા જ્ઞાતિ ગંગાના દર્શનનો લાભ મળેલ હતો. રઘુવંશી પરિવારના હજારો ભાઇઓ-બહેનો-બાળકો ઉમટી પડતા જ્ઞાતિ મેળા જેવુ વાતાવરણ સર્જાયેલ હતુ. સફળ બનાવવા માટે જલ્યાણ ગ્રુપના કાર્યકરો રેયોન લોહાણા પરિવારના કાર્યકરો તેમજ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓએ સેવા આપેલ હતી.(તસ્વીર-અહેવાલઃ દિપક કક્કડ-વેરાવળ)

(9:35 am IST)