Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરેન્દ્રનગરના જાુના જંકશન રેલ્વે ફાટક પ્રશ્ને આવેદન

વઢવાણઃ સુરેન્દ્રનગર જુના જંકશન પાસેનો રેલ્વે ફાટક વાળો રસ્તો તાત્કાલિક ફરી ચાલુ કરવા બાબતે કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું. આવેદનમાં જણાવેલ કે રેલ્વે ઓવરબ્રીજનું મુખ્ય મંત્રી દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. જે ઉદઘાટન થવાની સાથે જ જુના જંકશન પાસેનો ફાટક વાળા રોડનું ફાટક બંધ કરી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે સુરેન્દ્રનગર રીત-સર બે ભાગમાં વહેચાય જવા પામ્યુ છ.ે રેલ્વે ફાટકની પશ્ચિમ બાજુ અને પૂર્વ બાજુ એમ બે ભાગમાં સુરેન્દ્રનગર અલગ-અલગ હોય તે પ્રમાણેની પરીસ્થિતિનું નિર્માણ થયુ છે. પાટાની પશ્ચિમ બાજુના સુરેન્દ્રનગર એટલે કે સી.જ.ે હોસ્પીટલ પાસેથી પૂર્વ  બાજુ લોકોને ૮૦ ફુટના રોડ ઉપર કે જીનતાન રોડ અને ઉદ્યોગનગર બાજુ જવુ હોય તો પારાવાર મુશ્કેલી સહન કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વ્યવહારૂ નથી આવેદન આપ્યું તે તસ્વીર

(11:48 am IST)