Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સાવરકુંડલા : કબીર ટેકરી આતે પુણ્યતિથિ મહોત્સવ સંપન્ન

અમેરલીઃ સાવરકુંડલાના સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ દ્વારા કબીર ટેકરી ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદશ્રી નારણભાઇ કાછડિયાની ખાસ ઉપસ્થિતિમાં સદગુરુ તપસ્વી શ્રી રામ પ્રતાપ સાહેબની ૩૮મી પુણ્યતિથિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પૂર્વ કૃષિમંત્રીશ્રી વી.વી. વદ્યાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી હિરેન હિરપરા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, કમલેશભાઈ કાનાણી, મનીષભાઈ સંદ્યાણી સહિતના લોકો વિશાળ સમુદાયમાં ઉપસ્થિત રહ્યા હતા.તે તે પ્રસંગની તસ્વીર

(11:34 am IST)