Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

બાબરા તાલુકા તળપદા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ સંપન્ન

બાબરા તા.૨૩ : વીર માંધાતા ગૃપ બાબરા અમરાપરા દ્વારા આયોજીત પાંચમા વિદ્યાર્થી સન્માન સમારોહ જલારામ મંદિર ખાતે વિર માંધાતા કોળી સંગઠન ભાવનગરના અધ્યક્ષ રાજુભાઇ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જ્ઞાતિના મહાનુભાવો મયુરભાઇ જમોડ, યુવા ઉપપ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત, ધીરૂભાઇ વહાણી (પ્રમુખ) તા.પં.બાબરા, મુકેશભાઇ ભાલીયા, જગદીશભાઇ કાછેલા, ગોવિંદદાદા રાઠોડ (બગસરા), જગદીશભાઇ ધરજીયા (અમરેલી), અશ્વિનભાઇ મેણીયા (અમદાવાદ), આંબાભાઇ મેણીયા, પ્રેમજીભાઇ સોસા, પ્રકાશભાઇ ભડાણીયા, ભુપતભાઇ ગોહેલ, ભરતભાઇ મેર, મનજીભાઇ બાળદીયા, ભુપતભાઇ રોજાસરા, વિઠ્ઠલભાઇ માયાણી તેમજ લાઠી, બગસરા, જસદણ, સાવરકુંડલા, રંઘોળા, ટોડા, ઢસા, માચીયાળા, લીલવળા, વીર માંધાતા ગૃપના પ્રમુખશ્રીઓ તથા ક્રિએટીવ ગૃપ જસદણ તેમજ જ્ઞાતિબંધુઓની બહોળી સંખ્યામાં ધો.૧ થી ૧૨ના કુલ ૪૧ વિદ્યાર્થીઓને શિલ્ડ, કેલ્કયુલેટર, વોટરબેગ તેમજ શિક્ષણની ઉપયોગી કીટનુ વિતરણ કરાયેલ.

ધો.૧ થી ૧૨ના હાજર ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણને લગતી કીટ અપાયેલ. અધ્યક્ષ રાજુભાઇ સોલંકીએ જણાવેલ કે સમાજમાં જે વ્યસનરૂપી રાક્ષસ છે તેનો નાશ કરીએ અને સમાજ શિક્ષિત બને. અંધશ્રધ્ધા જેવા કુરીવાજો આપણા સમાજમાં છે તે દૂર કરવા સંગઠીત બનવા હાકલ કરી હતી.

વિદ્યાર્થી સન્માન સમારોહમાં શિલ્ડ અને સન્માનપત્રના દાતાશ્રીઓનુ વીર માંધાતા ગૃપ દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિરમાંધાતા ગૃપ બાબરા અમરાપરાના પ્રમુખ ગોરધનભાઇ ધોડકીયાના માર્ગદર્શન નીચે ઉપપ્રમુખ અશોકભાઇ રંગપરા, ઉપપ્રમુખ વિનુભાઇ વાઘેલા, મહામંત્રી લાલજીભાઇ ગોહેલ, સંગઠનમંત્રી મનોજભાઇ રાઠોડ, ધીરૂભાઇ જાદવ, સભ્યશ્રીઓ જેરામભાઇ માયાણી, વિજયભાઇ રંગપરા, સુખાભાઇ ડાભી, વિજયભાઇ રાઠોડ, લાભુભાઇ જીંજરીયા, ભાવેશભાઇ સરવૈયા, જયદીપભાઇ ગોહેલ, દેવેન્દ્રભાઇ વાઘેલા, ધર્મેશભાઇ રાઠોડ, બિપીનભાઇ રાઠોડ, સુરેશભાઇ રંગપરા, હિતેશભાઇ રંગપરા, અરવિંદભાઇ મકવાણા, સાગરભાઇ રંગપરા, શૈલેષભાઇ સોલંકીએ જહેમત ઉઠાવી હતી.

(11:24 am IST)