Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

વકિલની કુવામાંથી કોહવાયેલી લાશ મળતા ખળભળાટ

બોટાદ જીલ્લાનાં કાનીયાડના સુરેશભાઇ રૂખડભાઇ ખાચરનાં મોતના કારણ અંગે તપાસ : ૩ દિવસથી ગુમ હતા

રાજકોટ, તા. ર૩ :  બોટાદ જીલ્લાનાં કાનીયાડ ગામના વકિલ સુરેશભાઇ રૂખડભાઇ ખાચર (કાઠી દરબાર)નો મૃતદેહ કુવામાંથી મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ બોટાદમાં એડવોકેટની પ્રેકટીસ કરતા અને બોટાદ જીલ્લાના કાનીયાડ ગામમાં રહેતા સુરેશભાઇ રૂખડભાઇ ખાચર (કાઠી દરબાર)નો મૃતદેહ સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા તાલુકાના ગુંદીયાડા ગામની સીમમાં આવેલા ગ્રામ પંચાયતના કુવામાંથી મળ્યો હતો.

જેથી સાયલા તાલુકા પોલીસ સ્ટેશનના ધજાળાના પીએસઆઇ કે.ડી. જાડેજા અને ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક સુરેશભાઇ ખાચર ૩ દિવસથી લાપતા થયા હતા ત્યારબાદ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે તેમના મૃતદેહ મળતા પરિવારમાં ચિંતા પ્રસરી ગઇ છે.

મોતના કારણ અંગે ધજાળા પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(4:47 pm IST)