Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જૂનાગઢમાં ઉપરકોટ સ્થિત પોલીસ ચોકી અને ૭ મંદિરોને નિશાન બનાવતા તસ્કરો

ધર્માદા પેટી અને ભગવાનના આભૂષણોની ચોરી

 જુનાગઢ, તા. ર૩ : જુનાગઢમાં ઉપરકોર સ્થિત પોલીસ ચોકી અને ૭ મંદિરોને નિશાન બનાવી તસ્કરોએ ધર્માદો અને ભગવાનના આભુષણોની ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો.

ઉપરકોટ કિલ્લા પરિસરમાં તસ્કરો રાત્રીના સમયે ખાબકયા હતા. અહીંની પોલીસ ચોકીમાં પણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો, પરંતુ કંઇ હાથ લાગ્યા ન હતા.

આ ઉપરાંત ઉપરકોટ ખાતેના ગણેશ મંદિર, કોટડીયા દાદા મંદિર, ખીમડીયા દાદા મંદિર, શિકોતેર માતાજી મંદિર, ખોડીયાર માતાજી મંદિર, વરૂડી માતાજી મંદિર મળી કુલ ૭ મંદિરની તસ્કરોએ દાનપેટી તોડી હતી.

જેમાં ધર્માદા પેટીઓમાંથી રૂા. ૭૦૦૦ તેમજ સુરાપુરાની મૂર્તિ ઉપરથી રૂા. ૧૮ હજારની કિંમતના ચાંદીના દાગીના મળી કુલ રૂા. રપ હજારની મતાની ચોરી કરીને તસ્કરો નાસી ગયા હતાં.

આ અંગે શ્રેયાસદાસ ગુરૂ નવીનદાસ અગ્રાવતની ફરીયાદ લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:09 pm IST)