Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

જામનગરમાં એસ.ટી.નિગમની ભંગાર બસોની હરરાજી કરાશે

જામનગર, તા.૨૩: ભંગાર બસોના નિકાલ માટે ટેન્ડર કમ ઓકશન નોટીસ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ૧૮૮૫ નંગ ભંગાર બસો ટેન્ડર કમ હરાજીથી વેચવા ઈચ્છુક છે.  

આ માટે ટેન્ડર ભરીને પરત કરવાની છેલ્લી તા.૨૯-૦૫-૨૦૧૯ના ૧૪:૦૦ કલાક સુધી છે. હરાજીની તા.૩૦-૦૫-૨૦૧૯ના ૧૦:૦૦ કલાકે ટ્રેનીંગ સેન્ટર, મધ્યસ્થ યાંત્રાલય, નરોડા રોડ, અમદાવાદ ખાતે કરવામાં આવશે. ભંગાર બસોના કેટલોગ, ટેન્ડર ફી વગેરે માહિતી માટે WWW.gsrtc.in પર લોગ ઓન કરી શકાશે.

વધુ માહિતી માટે મો.નં. +૯૧-૮૧૪૧૩ ૬૬૫૭૪/૬૩૫૯૯ ૧૯૦૨૧ (ઓ): ૦૭૯ ૨૯૭૦૨૨૨૬ ઉપર કામકાજના કલાકો દરમિયાન સંપર્ક કરી શકાશે તેમજ WM_gsrtc@yahoo.com પર મેઇલ પણ કરી શકાશે. 

વિભાગીય કચેરી જામનગર ખાતે પણ અર્નેષ્ટ મની ડીપોઝીટ રકમ વહીવટી કામકાજના દિવસોમાં ૧૧ થી ૨૬ કલાક સુધીમાં જમા કરાવી શકાશે. સ્થાનીક હેલ્પલાઈન નં. વિભાગીય નિયામક ૬૩૫૯૯ ૧૯૦૩૪, વિભાગીય યાંત્રીક ઈજનરે ૬૩૫૯૯ ૧૭૫૩૫ ઉપર આ અંગે સંપર્ક કરવો તેમ વિભાગીય નિયામક એસ.ટી.જામનગરની યાદીમાં જણાવાયું છે.

(11:55 am IST)