Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પ્રભાસપાટણ નાનાકોળીવાડામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

પ્રભાસપાટણ તા. ર૩ : પ્રભાસપાટણ નાનાકોળીવાડામાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો તા.રર/પ/ર૦૧૯ થી પ્રારંભ થયેલ છે. કથાનો સમય બપોરે ૩ થી ૭ અને કથા સ્થળ ઘેડિયા કોળી સમાજની વાડી નાના કોળીવાડા.

કથાના વિવિધ પ્રસંગોમાં કથા પ્રારંભે ગઇકાલે બપોરના ભવ્ય પોથીયાત્રા નિકળેલ આજે કપિલ જન્મ, નૃસિંહ જન્મ તા.ર૪, વામન જન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ તા.રપ ના રોજ ગોવર્ધન લીલા, તા.ર૬ ના રોજ રૂક્ષ્મણી વિવાહ  તા.ર૭ ના રોજ સુદામા ચરિત્ર તા.ર૭ના કથા વિરામના તા.ર૮ મંગળવારે ૯ થી ૧ર સુધી યોજાશે.

કથાકાર શાસ્ત્રી જસ્મીનભાઇ (બાપુ) છે આ કથાના નિમંત્રક અરજણભાઇ ગઢીયા, લાખાભાઇ ગઢિયા, રમેશભાઇ ગઢિયા અને ગઢિયા પરીવાર દ્વારછે.

(11:08 am IST)