Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

જામનગરમાં અજાણ્યા વ્યકિતએ આવાસના આઠમા માળે જઇ નીચે પડી આયખું ટુંકાવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૩ : અહીં ગાયત્રીનગર શેરી નં.૧ માં રહેતા પદમરાજસિંહ હરેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છેકે, કોઈ અજાણ્યો પુરૂષ ઉ.વ.આ.૬૦, વાળો શરૂસેકશન રોડ પ્રધાનમંત્રી સરલાબેન આવાસ એ–૧ ના આઠમા તથા નવમા માળાના વચ્ચેના ભાગેથી પડતુ મુકી કોઈપણ કારણસર આત્મ હત્યા કરેલ છે.

ગીંગણી ગામે પગ લપસતા વૃઘ્ધનું મોત

જામજોધપુર તાલુકાના ગીંગણી ગામે રહેતા નટવરલાલ હંસરાજભાઈ વીરમગામા એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જગદીશ હંસરાજભાઈ વીરમગામા, ઉ.વ.૬૦, રે. ગીંગણીગામવાળા પોતાની વાડીએ કુવામાં પડી પાણીનો ઉલારોકાઢી પરત પોતાની વાડીએ ઓરડીએ જતા કાઢીયામા પગ લપસતા પડી જતા માથામા કપાળના ભાગે ઈજા થતા મરણ ગયેલ છે.

છરી સાથે એક શખ્સ ઝડપાયો

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. હરિહરભાઈ ભીખાભાઈ પાંડવ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.રર–૪–૧૯ ના મસિતીયા ગામે કમરૂદીન ડાડાની દરગાહની સામે હારૂન ઉર્ફે બેલોશેઠ અલ્લારખા ઉર્ફે બોદુ ગોલાવાળો મરૂન કલરના લાકડાના હાથામાં ફીટ કરેલ ધારદાર છરી કિંમત રૂ.રપની રાખી જાહેરમાં લઈ નીકળી ઝડપાઈ જઈ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(3:49 pm IST)