Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

નરેન્દ્રભાઇનાં વિજય માટે બોટાદનાં ગૌરક્ષક દ્વારા માનતા

બોટાદ તા.ર૩: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ફરી બહુમતિથી ભારતના વડા પ્રધાન બને તે માટે બોટાદના ગૌરક્ષક અને કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ સાતમભાઇ જેબલીયાએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી (હેડ્રિક) જંગી બહુમતિથી વિજયની વરમાળા ધારણ કરે (જીત મેળવે) તેવા સમાચાર પ્રાપ્ત થાય ત્યારે જ્યા સામતભાઇ હોય ત્યારથી તરત પાણી પીધા વગર બોટાદથી પાળીયાદ જગ્યામાં દર્શને ચાલતા જશે. અને પાળીયાદ જગ્યામાં જઇને જ ત્યાં પાણી ગ્રહણ કરશે તેવી આકરી માનતા (બાધા) રાખેલ. અને તેમના ઇષ્ટદેવ ભગવાન શ્રી સૂર્યનારાયણદેવના ધામ નવા સુરજદેવળ મંદિરે એક દિવસની રસોઇ સાથે ગાયોને ઘાસ, કબુતરને ચણ અને ગરીબ સાધુ, બ્રાહ્મણો, ફકીરો ને મિષ્ટાાન યુકત ભોજન સાથે દાન-દક્ષિણા આપશે તેવો સંકલ્પ કરેલ. બોટાદના ગૌરક્ષક સામતભાઇ જેબલીયાએ માનતા (બાધા) રાખેલ છે. અને ગૌમાતાને પ્રાર્થના કરી છે.

(2:39 pm IST)