Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચોટીલામાં મારવાડી યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૩: ચોટીલામાં ડુંગર પાછળ મફતીયાપરામાં રહેતાં અમરાભાઇ માનાભાઇ ભાટી (ઉ.૩૫) નામના મારવાડી યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

અમરાભાઇએ રાત્રીના અગીયારેક વાગ્યે પંખાના હુકમાં ચુંદડી બાંધી ફાંસો ખાઇ લેતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોડી રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાર્યવાહી કરી ચોટીલા જાણ કરી હતી.

(11:53 am IST)