Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ગોંડલમાં ઘરમાં આગ લાગતા પુત્રવધુનો મોતઃ સાસુ ગંભીર

ગોંડલ, તા. ૨૩ :. ગોંડલમાં રહેણાક મકાનમાં આગ લાગતા પુત્રવધુનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે જ્યારે સાસુને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના રણછોડનગરમાં આવેલ મકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગથી સાધનાબેન ભરતભાઈ વાળાનું મોત નિપજ્યુ હતું. જ્યારે સાસુ લીલાબેન દિનેશભાઈ વાળાને પ્રથમ ગોંડલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડેલ છે.

આ આગ આકસ્મીક છે કે લગાડવામાં આવી છે ? તે અંગે પીએસઆઈ શ્રી ઝાલાએ તપાસ હાથ ધરી છે.

(4:22 pm IST)