Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

વીરપુરમાં જય માંધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા

વીરપુર તા. ૨૩ : જય માંધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિ સમૂહલગ્ન ૨૦૧૯ યોજવામાં આવ્યા હતા.

આ સમૂહલગ્નમાં ૧૪ જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા,આ સમૂહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં ૬૫ જેટલી નાનીમોટી વસ્તુઓ આપવામાં આવી હતી, આ સમૂહલગ્ન સમારોહમાં કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાંસદ શ્રી વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર લલિતભાઈ રાદડીયા, પૂર્વમંત્રી જશુમતીબેનઙ્ગ કોરાટ, રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોરધનભાઈ ધામેલીયા,  ઓબીસી વિકાસ નિગમના ડિરેકટર વેલજીભાઈ સરવૈયા, જેતપુર તાલુકા ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના પ્રમુખ ભુપતભાઇ સોલંકી વગેરે હાજર રહી જમ્મુ કાશ્મીરના પુલવામામાંઙ્ગ ઙ્ગશહીદ થયેલા વીર શહીદોને ૧૪ નવદંપતીઓ તેમજ સમૂહલગ્નમાં પધારેલા મહેમાનોએ સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી.

જય માંધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા આ સમૂહલગ્નમાં પધારેલ જાનૈયાઓ તેમજ મહેમાનોએ 'વીર શહીદો અમર રહો', 'ભારત માતાકી જય', 'વંદે માતરમ'ના નારા લગાવ્યા હતા,આ સમૂહલગ્નને સફળ બનાવવા જય માંધાતા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી કેશુભાઈ મેર તેમજ માંધાતા ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.(૨૧.૨)

 

(11:40 am IST)