Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

જામકંડોરણામાં સંવિધાન ચેતના યાત્રાનું સ્વાગત

જામકંડોરણા : લોધીકાથી નીકળેલી સંવિધાન ચેતના સાયકલ યાત્રા જામકંડોરણા ખાતે આવી પહોચતા સ્વાગત કરાયુ હતુ. જીલ્લા વહીવટીતંત્ર તરફથી ૭૧માં પ્રજાસતાક પર્વની ઉજવણીના આયોજનના ભાગરૂપે આ સંવિધાન ચેતના યાત્રા ૭૧ સાયકલો સાથે યાત્રીઓ જામકંડોરણા તા.પં. કચેરી ખાતે પહોચતા તેનુ બાળાઓ દ્વારા કુમકુમ તિલક તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કરેલ. સ્વાગત માટે તા.પં. કચેરી ખાતે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ હતા. આવેલ તમામ સાયકલ યાત્રીઓ માટે તા.પં. કેમ્પસમાં સ્વાગતવિધિ કાર્યક્રમ રાખેલ હતો. આ કાર્યક્રમમાં તા.પં.ના પ્રમુખ ઇલાબેન પરમાર, તા.પં.પૂર્વ પ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, જી.પં.સદસ્ય મનોજભાઇ બાલઘા તેમજ પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ આગેવાનો અને મામલતદાર ખરાડી, તા.વિ.અધિકારી ડઢાણીયા સહિતનાઓએ હાજરી આપી સાયકલ યાત્રીઓનું સ્વાગત કરેલ હતુ તે તસ્વીર.(તસ્વીર : મનસુખભાઇ બાલઘા, જામકંડોરણા)

(11:38 am IST)