Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પોરબંદરના એસ.એસ.સી.ના કામદારોને કવાટર્સ ખાલી કરવાની નોટીસો સામે કલેકટરને રજુઆત

પોરબંદર તા.રર : એસ.એસ.સી. કોલોનીમાં રહેતા કામદારોને કવાટર્સ ખાલી કરવા અપાયેલી નોટીસો સામે એસ.એસ.સી. સીમેન્ટ ફેકટરીના કામદારોએ કલેકટરને રજુઆત કરી ન્યાય આપવા માંગણી કરી હતી.

કલેકટરને રજુઆતમાં કામદારોએ જણાવેલ કે એસ.એસ.સી. સીમેન્ટ ફેકટરીના કામદારોને હજુ પુરતા હકક હિસ્સા ચુકવાયેલ નથી જે તે સમયે એસ.એસ.સી.માં કામદારોને કવાટર્સ ખાલી કરવા નોટીસો અપાતા કામદારો અને તેના પરિવારોમાં ચિંતા વ્યાપી ગયેલ છે.

(1:01 pm IST)