Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ગાંધીનું સુરાજય સેવાવૃતિથી પ્રજ્જવલિત થશેઃ પૂ.મોરારીબાપુ

ભાવનગરમાં લોકસેવક માનભાઇ ભટ્ટની સ્મૃતિમાં નાગરિક સન્માન સમારોહ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૨: ગુજરાતના મુઠી ઉછેરા લોકસેવક માનભાઇ ભટ્ટની સ્મૃતિમાંસતત ૩૧ માં વર્ષે નાગરિક સન્માન સમારોહ તા.૨૧ નવેમ્બર રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો. સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ પ્રસંગે આરોગ્ય, બાળકેળવણી, પર્યાવરણ જાગૃતિ, બાળ - મહિલા ઉત્કષ વિષયે સેવારત રાજયની ૭૫ સ્વૈછિક સંસ્થાઓનું પૂ.મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અભિવાદન કરવામાં આવ્યું. પ્રતિકાર ભર્યા પુરુષાર્થથી પ્રભૂપ્રિત્યર્થે લોક સેવાના કાર્યમાં જોડાએલ અને ગુજરાતના મહાજન પણાને જાળવી રાખતી સંસ્થાઓને પુજય માનભાઇની સ્મૃતિમાં શિલ્ડ, ખેસ, પુસ્તક સંપુટ તથા તમામ સંસ્થાઓની કામગીરીને વ્યકત કરતા ગ્રંથથી સન્માનિત કરવામા આવેલ. માનવ જયોત ટ્રસ્ટ, મુંબઇ તથા ચિત્રકૂટધામ ટ્રસ્ટ, તલગાજરડાના સહયોગથી યોજાએલ કાર્યક્રમ પ્રસંગે પૂ.મોરારિબાપુ ખાસ દીલ્હી - રામકથા પુર્ણ કરી રાજયભરમાથી પધારેલ સ્વૈચ્છિક સંસ્થાઓના સંચાલકોને આશિર્વચન.

પૂ.મોરારીબાપુએ આ તકે જણાવ્યું હતું કે ગાંધીજી સુરાજય સેવાવૃતિથી પ્રજ્જવલિત થશે. વિશ્વામિત્ર આંદોલનનાં પ્રણેતા પદ્મશ્રી, પર્યાવરણ વિજ્ઞાની ડો.એમ.એચ મહેતા સ્વૈચ્છિક સંસ્થાઓનાં સંકલન અને સમાજ વિકાસ અંગે માર્ગદર્શન આપતા જણાવ્યુકે ગ્લોબલ વોર્મિંગ સામેનો જવાબ પ્રજાના સ્વૈછિક પ્રયત્નો માંથી ઉદભવશે.આમ પ્રજા જાગ્રત નહી થાય અને ભોગવાદી જીવન ચર્ચા બદલાશે નહી ત્યાં સુધી સમાનતા શકય નથી. ભાવનગરની સેવા અને શિક્ષણની ઓળખરૂપ શિશુવિહાર પ્રાગણમાં યોજાએલ સન્માન સમારોહના પારંભે માનવજયોત સંસ્થાના અધ્યક્ષ શ્રી કુલિનકાંતભાઈ લુઠીયાનું અભિવાદન થયું. આ પ્રસંગે કાર્યક્રમના સંચાલક પ્રાધ્યાપક શ્રી પ્રવિણભાઇ ઠકકરે તૈયાર કરેલ પુસ્તક વિમોચન બાદ સહુનો આભાર વ્યકત કરવામાં આવેલ છે.

(11:40 am IST)