Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

શ્રી સોમનાથ મહાદેવનાં દર્શને ર૦ દિવસમાં ૬,૭પ,૭૭૭ ભાવિકોએ દર્શન કર્યા

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. રર : વિશ્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાક્ષાત દર્શન અનુભૂતિ માટે પહેલી નવેમ્બરથી શરૂ થયેલો ભાવિકોનો પ્રવાહ વણથંભ્યો ચાલુ જ રહ્યો છે.
તેમાં પણ દિવાળી-કાર્તિક પૂનમ વર્ષ ર૦ર૧ ડીસેમ્બર પહેલા પડેલ સી. એલ. રજાઓ પૂર્ણ કરવા અને વેકેશન સહિત અનેક પરિબળોએ અર્થતંત્ર ધબકતુ કર્યુ. તા. ૧ નવે. ર૦ર૧ થી તા. ર૦ નવે. ર૦ર૧ સુધીમાં ૬,૭પ,૭૭૭ દર્શનાર્થીઓ મંદિરમાં ભોળનાથના પ્રત્યક્ષ દર્શનથી ધન્યા બન્યાં.
જે ગત વરસ વર્ષ ર૦ર૦ માં નવેમ્બર આખા મહિનામાં ૩,પ૦,૬૪૦ દર્શનાર્થીઓએ દર્શન કર્યા હતાં. સૌથી વધુ દર્શનાર્થી તા. ૭ નવે. ર૦ર૧ ના રોજ પ૯ર૯૯ અને તારીખ ૮ ના રોજ પ૭૧૭૬, તા. ૬ ના રોજ પ૦૯૪૮ રહ્યા અને નવેમ્બર ર૦ર૧ મહિનાને અંતે આંક દસ લાખ આસપાસ પહોંચવા સંભવ છે. (પ-૯)  

 

(10:25 am IST)