Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સાવરકુંડલા કોલેજમાં એનએસયુઆઇ દ્વારા હડતાલ

 

 સાવરકુંડલાઃ સરકાર દ્વારા દર વર્ષે ત્રણસો કરોડના ટેબલેટ આપવાની જોગવાઇ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવવામાં આવ્યા નથી ગત વર્ષે કોરોના મહામારીના કારણેઓન લાઇન શિક્ષણ લેવા પણ ટેબલેટ ન હોવાના કારણે કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષણને વંચીત રહ્યા હતા. જયારે ત્રણવર્ષના ત્રણસો કરોડ લેખે નવસો કરોડની જોગવાઇ છતા વિદ્યાર્થીઓ ટેબલેટથી વંચિત રહેતા આખરે એનએસયુઆઇના રાજય મંત્રી કેતનભાઇ ખુમાણે સાવરકુંડલા કોલેજ ખાતે વિદ્યાર્થીઓની મુલાકાત લઇ રાજય સરકારને ઢંઢોળવા માટે સહી ઝુબેશ હાથ ધરી વિદ્યાર્થીઓને ટેબલેટ ફાળવવા ઉગ્ર રજુઆત કરી હતી.

(12:38 pm IST)