Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

જેતપુરમાં 8 લાખની લાંચ કેસનો મામલો: DYSP જે.એમ.ભરવાડ ફરાર જાહેર

રાજકોટ ના જેતપુરમાં રૂપિયા 8 લાખની લાંચ કેસનો મામલે ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા DYSP જે.એમ.ભરવાડ ને CRPC કલમ 82 મુજબ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. આરોપીને માર ન મારવા અને પૂછપરછ ન કરવા રૂપિયા 8 લાખની લાંચ માંગવામાં આવી હતી. આ કેસમાં એસીબી દ્વારા પોલીસ કોન્સ્ટેબલ વિશાલ સોનારા ની લાંચ સ્વીકારવા મામલે ધરપકડ કરવામાં આવી હતી. 3 ઓગષ્ટ ના રોજ એસીબી ટ્રેપ કરી હતી જેમાં DYSP જે.એમ.ભરવાડ જામીન અરજી કરી હતી જે કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી હતી

(7:31 pm IST)