Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સુરેન્દ્રનગરમાં દિવાળીની ઘરાકીના સમયે જ હાર્ટેએટેક આવતા વેપારીનું મોત : ઘટના સીસીટીવીમાં કેદ

જીલ્લામાં હાર્ટએટેકથી મોતનો આંક વધતાં ચિંતાજનક સ્થિતિ

સુરેન્દ્રનગરનાં દિપ ચશ્માઘરવાળા મનીષભાઇ શાહને ગ્રાહકને ચશ્મા બતાવતી વખતે જ જીવલેણ હાર્ટએટેક આવ્યો હતો તે દુર્ઘટના સી.સી.ટીવી. કેમેરામાં કેદ થયેલ જે તસ્વીરમાં નજરે પડે છે. 

સુરેન્દ્રનગર, તા. રર :  સુરેન્દ્રનગર જિલ્લા માં રોગચાળા એ માઝા મૂકી છે.ત્યારે જિલ્લા માં ડેંગ્યુ અને મેલેરિયા ના કેસો માં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ની મોટા ભાગ ની હોસ્પિટલમાં ફૂલ પેસેન્ટ થી પેક છે.ત્યારે જિલ્લા માં અન્ય રોગ કરતા પણ હાર્ટ એટેક ના કેસો પણ વધ્યા છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં વેપારીઓ પોતે પોતાની દુકાનો અને સેવાઓ આપતા હોય અને એટેક આવતા મૃત્યુ પામ્યા માં છેલ્લા ૧૫ દિવસમાં ૩ બનાવો બન્યા છે. અનેે સુરેન્દ્રનગર જિલ્લામાં એટેકના કારણે ચાલુ પેસેન્ટ ની સારવાર દરમિયાન ડો. પી.જી.દોસી નું એટેક ના કારણે અવસાન થયું હતું. જયારે ગઈ કાલે ફરી એકવાર સુરેન્દ્રનગર દીપ ચશ્માં દ્યર વાળા મનીષ ભાઈ પોતાની દુકાન માં આવેલ ગરાગ ને દિવાળી સમયે ચશ્માં બતાવી રહ્યા હતા.ત્યારે આચનક એટેક આવતા દુકાન મા જ મોત નિપજીયુ હતું.ત્યારે દુકાન માં આવેલ દ્યરાગ પણ આ જોઈ ને ગભરાઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ હતી.

(1:01 pm IST)