Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પાલિતાણાના વિરપુરમાં ત્રણ સગા ભાઇઓની એક સાથે અંતિમવિધીથી કરૂણ દ્રશ્યો સર્જાયા

શાળાએથી પરત ફરતી વખતે તળાવમાં ડુબી જતા પૃથ્વી, ચિરાગ અને હાર્દિકે એક સાથે જીવ ગુમાવતા દિવાળીના તહેવારોમાંજ પરિવારજનો પર વ્રજઘાત

ભાવનગર તા. રરઃ દિવાળીના પર્વ ઉપર જ એકજ પરિવારના ત્રણ સગીરભાઇઓના મોત નિપજતા અને ત્રણેયની અંતિમ વિધી સાથે થતા ભાવનગરના પાલીતાણા પંથકમાં આ કરૂણાતિકાના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના વીરપુર ગામે રહેતા અને ખેતીવાડીનો વ્યવસાય કરતા સુખાભાઇ મેઘજીભાઇ મકવાણાના ત્રણ માસુમ દિકરા પૃથ્વી ઉ.૧૦, ચિરાગ ઉ.૮ અને હાર્દિક ઉ.૬ ગઇકાલે તળાવમાં ડુબી જતા ત્રણેયના કરૂણ મોત નિપજયા હતા. આ બનાવથી નાના એવા વિરપુરમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ છે. અને પરિવારમાં ભારે આક્રંદ છવાઇ જવા પામ્યો છે ત્રણેય ભાઇઓની અંતિમ વિધી  વખતે આખુ ગામ હિબકે ચડયું હતું.

(11:21 am IST)