Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ભાવનગરમાં શાબીર ઘાંચીની હત્યા

રાકેશ ધનજી અને ભાવીન નામના શખ્સોએ હથિયારોના ઘા ઝીંકી દીધા

ભાવનગર, તા. ૨૨ :. ભાવનગરના હાદાનગર વિસ્તારમાં ઘાંચી યુવાન ઉપર બે શખ્સોએ છરી, પાઈપ વડે હુમલો કરી હત્યા કર્યાનો બનાવ બનવા પામ્યો છે.

ખૂનનાં આ બનાવની વિગતો એવી છે કે, શહેરના હાદાનગર સ્નેહમિલન સોસાયટીમાં રહેતા શાબીરભાઈ સતારભાઈ શાહ (ઉ.વ. ૩૫) એ તેના ઘર નજીકથી પસાર થતા રાકેશ ધનજી અને ભાવીન નામના શખ્સને 'તું અહીં પી કેમ નીકળે છે?' તેમ કહેતા આ બન્ને શખ્સોએ ઉશ્કેરાઈ શાબીરના માથાના ભાગે છરી તથા લોખંડનો પાઈપ મારી ગંભીર ઈજા પહોંચાડી નાસી છૂટયા હતા.

દરમ્યાન ઈજાગ્રસ્ત શાબીરને સારવાર માટે અત્રેની સર ટી હોસ્પીટલમાં ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા બનાવ ખૂનમાં પરીણમ્યો હતો.

આ બનાવ અંગે મરનાર શાબીરની માતા જેનુબેન સતારભાઈ ઘાંચીએ ડી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ બનાવની તપાસ પી.આઈ. રાવલ ચલાવી રહ્યા છે.(૨-૫)

(12:00 pm IST)