Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

રાજપીપળા પાસે કાર અકસ્માતમાં રઘુવીર સોસાયટીના કેયુર કણસાગરાનું મોત

મિત્રો સાથે સુરત જતી વખતે બનાવઃ માતા-પિતાનો એકનો એક પુત્ર હતાઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: રાજપીપળા નજીક ન્યુ નર્મદા હોટેલ પાસે બે દિવસ પહેલા ૨૦મીએ કાર અકસ્માતમાં ગંભીર ઇજા પામનાર રાજકોટ ન્યુ રામેશ્વર ચોક રોડ રઘુવીર સોસાયટીમાં રહેતાં કેયુર અતુલભાઇ કણસાગરા (પટેલ) (ઉ.વ.૨૪)નું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. કેયુર શેરબજારનું કામ કરતો હતો. તે માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. ૨૦મીએ મિત્રો સાથે કાર મારફત કામ સબબ સુરત જતો હતો ત્યારે રાજપીપળા પાસે કારને અકસ્માત નડતાં ઇજા થતાં પ્રથમ અંકલેશ્વર સારવાર અપાવી બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. ગાંધીગ્રામ પોલીસ મથકના એએસઆઇ રમેશભાઇ સાંગાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:47 pm IST)