Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ગારીયાધાર પંથકમાં એકધારા વરસાદથી તલ-કઠોળના પાકને નુકશાન

(ચિરાગ ચાવડા દ્વારા) ગારીયાધાર તા. રર :.. શહેર અને પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કાલે બપોર બાદ સાર્વત્રીક વરસાદ વરસી પડયો હતો. જેમાં શહેરમાં અડધા ઇંચનો ગ્રામ્ય વિસ્તારમાં પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

શહેર ઉપરાંત વિરડી, મોરબા, પરવડી, મીનગઢ, મોટીવાવડી, નાની વાવડી અને રૂપાવટી સહિતના તમામ ગામોમાં વરસાદ વરસી પડયો હતો.

લાંબા સમયથી વરસી પડેલા વરસાદના કારણે ધરતીપત્રોમાં ભારે ચિંતાઓ થવા પામી છે. તલ, મગ, તુવેર, જેવા પાકોમાં ભારે નુકસાની સેવાઇ રહી છે.

(12:00 pm IST)